અમેરિકામાં બાલ્ટીમોરમાં ભયાનક દુર્ઘટના : ઘણા લોકોના મોતની આશંકા માલવાહક જહાજ પુલ સાથે અથડાતા ,પુલ ધરાશાયી
- 26 Mar, 2024
અમેરિકામાં એક માલવાહક જહાજ પુલ સાથે અથડતા ભયંકર દુર્ઘટના બની ,પ્રાપ્ત માહિતી મુજબ અમેરિકાનું જહાજ હાર્બર પાર કરતી વેળાએ પુલ સાથે અથડાયું હતું. ટક્કર એટલી જોરદાર હતી કે ત્યાર બાદ સમગ્ર પુલ ધરાશાયી થયો હતો. આ ભયાનક અકસ્માતમાં ઘણા લોકોના મોતની આશંકા છે.
અમેરિકાના બાલ્ટીમોર હાર્બર વિસ્તારમાં એક અકસ્માત થયો હતો. વાસ્તવમાં અહીં એક માલવાહક જહાજ બાલ્ટીમોર હાર્બર પાર કરતા પુલ સાથે અથડાયું હતું. આ દુર્ઘટના બાદ પુલ ધરાશાયી થયો હતો અને આ ઘટનામાં ઘણા લોકોના મોતની આશંકા છે. બાલ્ટીમોર કોસ્ટ ગાર્ડ ઓફિસર મેથ્યુ વેસ્ટએ જણાવ્યું હતું કે, પુલના આંશિક પતનની જાણ થઈ હતી. બાલ્ટીમોર ફાયર વિભાગે પણ પુલ તૂટી પડવાની પુષ્ટિ કરી હતી. આ પછી મેરીલેન્ડ ટ્રાન્સપોર્ટેશન ઓથોરિટીએ બ્રિજ પર વાહનવ્યવહાર બંધ કરી દીધો છે.
કોસ્ટગાર્ડ, ફાયર ડિપાર્ટમેન્ટ સહિતની ઘણી એજન્સીઓનું કહેવું છે કે આ દુર્ઘટનામાં ઘણી જાનહાનિ થવાની આશંકા છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે પુલ તૂટી પડ્યા બાદ ઘણી કાર અને લોકો પાણીમાં ડૂબી ગયા હતા. ઘણા લોકોના ગુમ થવાના સમાચાર પણ છે. એકંદરે આ અકસ્માત મોટા નુકશાન તરફ ઈશારો કરી રહ્યો છે. બાલ્ટીમોર ફાયર ડિપાર્ટમેન્ટના ડાયરેક્ટર કેવિન કાર્ટરાઈટે પુષ્ટિ કરી હતી કે અંદાજે સાત લોકો અને અનેક વાહનો નદીમાં વહી ગયા હતા.
કોસ્ટ ગાર્ડના અધિકારીએ જણાવ્યું કે જહાજ પર સિંગાપોરનો ધ્વજ હતો. માલવાહક જહાજનું નામ ડાલી છે અને તે 948 ફૂટ લાંબુ છે. આ જહાજ બાલ્ટીમોરથી શ્રીલંકાના કોલંબો માટે રવાના થયું હતું. આ દરમિયાન જહાજ ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ સાથે અથડાયું હતું. આ પુલ 1977માં સામાન્ય લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેનું નામ પ્રખ્યાત અમેરિકન લેખક ફ્રાન્સિસ સ્કોટના નામ પરથી રાખવામાં આવ્યું હતું. ફ્રાન્સિસ સ્કોટ બ્રિજ 1.6 માઇલ લાંબો છે.
ગુજરાત વંદનના whatsapp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ
ગુજરાત વંદનના whatsapp ગ્રુપમાં જોડાવા આ લિંક પર ક્લિક કરોઃ